જે જન્મતાં આશિશ હેમચંદ્રની
પામી, વિરાગી જિનસાધુઓએ
જેનાં હીંચોલ્યાં મમતાથી પારણાં,
રસપ્રભા ભાલણથી લહી જે
નાચી અભંગે નરસિંહ-મીરાં-
–અખા તણે નાદ ચડી ઉમંગે,
આયુશ્યમતી લાડલી પ્રેમભટ્ટની,
દૃઢાયુ ગોવર્ધનથી બની જે,
અર્ચેલ કાંતે દલપત્તપુત્રે,
તે ગુર્જરી ધન્ય બની ઋતુંભરા
(૧/૨)